Tuesday, June 10, 2025
spot_img
HomeGujaratમહીસાગર : અંબાજીના પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે બાકોર પોલીસે કરી અનોખી...

મહીસાગર : અંબાજીના પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા માટે બાકોર પોલીસે કરી અનોખી પહેલ

ભાદરવા મહિનાની પૂનમે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો યોજાય છે. આ ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ આસપાસના રાજ્યના  ભક્તો પણ ચાલતા પગપાળા અને સંઘ લઈને માતાજીના દર્શને ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

હવે ભાદરવી પૂનમના મેળાના દિવસો નજીક આવી રહ્યા છે તેવામાં લોકો સંઘ અને રથ લઈ પગપાળા અંબાજી તરફ જવા માટે રવાના થઈ રહ્યા છે.ત્યારે મહીસાગર જિલ્લામાંથી પણ છેલ્લા બે-ત્રણ દિવસથી પગપાળા જતા યાત્રાળુઓની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે.

ત્યારે અંબાજી જતા આ પદયાત્રીઓ માટે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેઓ પસાર થતા લુણાવાડા મોડાસા હાઇવે રોડ નજીક આવેલ વિસામાં ખાતે રોકાણ કરતા હોય છે. તો આ વિસામા ખાતે પદયાત્રીઓ સાથે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે વિસામાં ખાતે પોલીસ દ્વારા  જરૂરી સુચનાઓના બોર્ડ મૂકવામાં આવ્યા છે. તથા પદયાત્રીઓને રેડિયમ લગાવેલી સ્ટિકો આપવામાં આવી છે. તથા પદયાત્રીઓના વાહનોને પણ રેડિયમ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x