ગણેશ ચતુર્થી નો મહિમા સમગ્ર દેશમાં ગણેશ સ્થાપના થતી હોય છે અને પૂજન અર્ચન કરવાનો મહત્વ રહેલું છે મોડાસા તાલુકાની સાકરીયા ગામે આવેલી સારી ખ્યાતિ ધરાવતી અક્ષર નર્સિંગ કોલેજમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની સ્થાપના ભવ્ય રીતે કરવામાં આવી સવારે 10:00 વાગે ઢોલ નગારા સાથે વરધોડો કાઢી સ્થાપના કરી આવી પૂજા અર્ચના કરવામાં આવી એ પ્રસંગે અક્ષર નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રી ઉમંગ પટેલ શ્રી આન પટેલ શ્રી કીર્તન પટેલ પ્રિન્સિપાલ શ્રી ડોના જોસેફ ઉપસ્થિત રહેલ હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આકાશ સોની અને અક્ષર શ્રૌફ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્ર મંડળ સ્નેહીજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા સમગ્ર કોલેજનું વાતાવરણ ભક્તિમય ઉલ્લાસપૂર્વક બની રહ્યું હતું
