ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ આ દિવસે ભારતમાં ગણેશજી નું આગમન ભવ્ય ઉજવણી દ્વારા કરવામાં આવે છે ત્યારે મોડાસાના રામપાર્ક વિસ્તારમાં

રામપાર્ક યુવક મંડળ દ્વારા ગણેશજીનું આગમન ભવ્ય ઉજવણી સાથે કરવામાં આવ્યુ હતું તેમજ ડીજે ના તાલે ભગવાન શ્રીગણેશની સ્થાપના કરવામાં આવી હતી
આ વિસ્તારના ભાઈઓ , બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો દર વર્ષે રામપાર્ક યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અહીં ગણેશજી ને રામાપાર્ક કા રાજા અને સિલ્વર કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે