મોડાસા નગરની મેઘરજરોડ પર આવેલ આવેલી 170 બંગલાઓની દ્વારકાપૂરી બંગ્લોઝમાં વહીવટ કર્તાના આદેશથી મચ્છર ની દવાનો ઝેરી જંતુનાશક પાવડર છંટકાવ ચોકીદાર અને તેમનો પુત્ર ભેગા મળીને કરતા હતા આ દરમ્યાન તેઓને એકાએક ભારે ઇન્ફેક્શન થતાં જેના કારણે તેઓના હાથ પગમાં ભારે અસર થવા પામેલ હતી જેના કારણે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે આ અંગે જંતુનાશક દવાનો પાવડર કોણ ક્યાંથી લાવ્યું તે અંગે નગરમાં તર્કવિતર્ક શરૂ થયા છે
