અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના એક માત્ર શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને ગણેશજીની આબેહુબ પ્રતિમાનું વિધિ-વિધાન પુર્વક સ્થાપના કરવામાં આવી હતી.
ભિલોડામાં ખાડીયા ચોક, નવા ભવનાથ, શાંતીનગર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી, ચૌધરી ચોક, પટેલ સોસાયટી, ભુલવણી વિસ્તાર, ગોવિંદનગર વિસ્તાર સહિત અલગ – અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની વાજતે – ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી.મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર જોડાયા હતા.ગણેશજી ને પ્રિય એવા લાડું અને મોદકનો પ્રસાદ ભક્તોએ ધરાવ્યો હતો.
