ગુરુ ને ભગવાનથી પણ ઊંચું મહત્વ આપવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં છે, તેથી કહેવાય છે કે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે….. આજે પાછું એકલવ્ય જેવું કોરોનાની મહામારી માં થઈ રહ્યું છે આજે સોશિયલ મીડિયા મારફતે એટલે કે મોબાઇલ લેપટોપ આઇપેડ એ દ્રોણાચાર્યની મુર્તિ છે અને સામે દેશ અને દુનિયાના લાખો વિદ્યાર્થીઓ નવા દ્રોણાચાર્યની મુર્તિ સામે બેસીને પોતાનું શિક્ષણ લઇ રહ્યા છે .આજે પણ આ માધ્યમો હોવા છતાં તેમાં પણ ગુરુ એટલે કે શિક્ષક ની જરૂર તો પડે જ છે આજના શિક્ષક દિન નિમિત્તે સર્વોદય હાઈસ્કૂલ ના પ્રાર્થના હોલમાં જાયન્ટ્સ મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લાના જુદાજુદા શાળાઓના શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ બીપીન કાકા. નરેન્દ્ર કાકા . અમિતભાઈ.રાજાબાબુ. રાકેશભાઈ મહેતા. પ્રવીણભાઈ પરમાર સન્માનિત શિક્ષકો હાજર રહ્યા
