પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે* આમ આદમી પાર્ટી *અરવલ્લી* દ્વારા *તમામ શિક્ષકો -ગુરુઓને શુભેચ્છા પાઠવવામાં આવી*. આજે માનનીય કલેકટર શ્રી અરવલ્લીને ગુજરાતના શિક્ષકો બાળકોના શિક્ષણમાં પૂરતો સમય ફાળવી શકે તે માટે શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા રજૂઆત કરવામાં આવી, તેમજ તેઓના પ્રશ્નો જેવા કે દરેક સ્કૂલમાં સંપૂર્ણ સ્ટાફ, કાયમી ભરતી, પૂરતા પ્રમાણમાં ઓરડા અને તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ(OPS) કરવા રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લા પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ, પ્રદેશ આર.ટી.આઈ સેલ ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, માઈનોરીટી સેલ પ્રમુખ ઉસ્માન લાલા, તેમજ કારોબારી સભ્ય ઇન્દુભાઇ પંડયા હાજર રહ્યા
