ભાદરવા સુદ બીજ કળિયુગના પ્રત્યક્ષ પરચાધારી લોક દેવતા બાબા રામદેવ પીરના જન્મોત્સવની ઉજવણીનો વિશેષ મહિમા છે.ત્યારે રાજસ્થાનથી આવેલ અરવલ્લીના મોડાસામાં ધંધા રોજગારની વ્યવસાય સાથે સંકળાયેલા રાજસ્થાની વેપારી સમસ્ત મિત્ર મંડળ મોડાસા સમાજ રામદેવપીર મહારાજ પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા રહેલી છે.બાબા રામદેવપીરનો જન્મ લગભગ
600 વર્ષ પૂર્વ રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામે ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે ત્યારે ખાસ કરીને ભાદરવા સુદ બીજની ઉજવણી સવિશેષ ગુજરાત અને રાજસ્થાનમાં કરાતી હોય છે તેના ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસાના 200 થી રાજસ્થાની વેપારી મિત્ર મંડળના પરિવારો ભાદરવા સુદ બીજની રાત્રિએ એક શામ બાના કે નામ ભજન કિર્તનનો કાર્યક્રમ યોજીને ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી.. ભજન સંધ્યા કાર્યક્રમમાં અરવલ્લીના મોડાસા,માલપુર,મેઘરજ, મારવાડી સમાજ રામદેવ પીરના ભજનો પર ભક્તિમાં રંગે રંગાઈને ઝૂમી ઊઠયા હતા.પૂરી રાત્રિ દરમ્યાન રામદેવપીર ના ભજનોમાં મગ્ન થઈને વહેલી સવારે બાબા રામદેવપીરની નેજાને મોડાસાના ગણેશપુર વિશ્વકર્મા મંદિરથી દેવરાજ ધામ સુધી પદયાત્રા કરીને વાજતે વાજતે બાબા રામદેવ પીરને નેજા ચડાવીને. અને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવીને ,પ્રાર્થના કરીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
