ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા અરવલ્લી સિંચાઇ વિભાગ (સિંચાઇ કોલોની) ના કમ્પાઉન્ડમાં ફળાઉ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અરવલ્લી સિંચાઇ યોજના વિભાગ અને મોડાસા નગરપાલિકાના સહયોગથી યોગ્ય માવજત કરવાના સંકલ્પ સાથે ત્રીજા ચરણમાં વરસાદી માહોલમાં 200 ફળાઉ રોપાઓ વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી સુંદરકાંડ પરિવાર, યોગ શિબિર પરિવાર, SBI એમ્પ્લોઈજ સો & રાધાક્રુષ્ણ સોસાયટી વગેરેના સભ્ય ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા વૃક્ષારોપણ કર્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાના ચેરમેનશ્રી ભરતભાઈ પરમારએ સહભાગી થવા બદલ તમામનો આભાર માન્યો હતો તથા ફુલછડીથી સ્વાગત કર્યું હતું. આ ફળાઉ વૃક્ષોના વૃક્ષારોપણ માટે દાતાશ્રી મુકેશભાઇ કે. પટેલ તરફથી રૂ.10,000/- નું દાન મળેલ છે તે બદલ સંસ્થા તરફથી તેમનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો તેમજ તેમના માર્ગદર્શન મુજબ લીંબુ, જામફળ, આંબા, જાંબુ, મોસંબી, ચેરી, સંતરા, દાડમ, અંજીર વગેરે ટૂંકા ગાળામાં ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા. આ પ્રસંગે રેડક્રોસના ટ્રેઝરર શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્યશ્રી મુકેશભાઈ પટેલ, યોગ શિબિરના શ્રી ડો. હરિભાઇ પટેલ, શ્રી વસંતભાઈ શાહ, શ્રી જલારામ સેવા ટ્રસ્ટના શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ પ્રજાપતિ, SBI એમ્પ્લોઈજ & રાધાકૃષ્ણ સોસાયટીના શ્રી જીતુભાઈ મહેશ્વરી, વલ્લભભાઈ પટેલ, હાર્દિકભાઇ પટેલ, સૌરાષ્ટ્ર સેવા ટ્રસ્ટના શ્રી જયંતિભાઈ ગજેરા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ વગેરેએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું તથા રેડક્રોસના વૃક્ષારોપણ કાર્યક્રમને બિરદાવી પર્યાવરણ બચાવવા આગામી સમયમાં પણ રેડક્રોસની પ્રવૃત્તિઓમાં સહભાગી થવા જણાવ્યુ હતું.
