માલપુર તાલુકાના રામપુર ગામમાં યુવતી મનીષાબેન તરાર ને બપોરે અચાનક ઉલટી તેમજ ગભરામણ થતા તેમને સારવાર અર્થે મોડાસા લઇ જતા રસ્તામાં જ એમ્બ્યુલન્સ માં મૃત્યુ થયું હતું જેથી શંકાસ્પદ મોત લગતા પિયરિયાંએ સાસરીપક્ષ પર આક્ષેપ લગાવ્યો હતો.

તેમણે સાસરીમાં જઈ પથ્થરમારો અને હોબાળો કર્યો હતો જ્યાં સમજાવવા પહોંચેલી પોલીસ પર પણ પિયરપક્ષે પથ્થરમારો કરી 10 પોલીસકર્મીને ઈજા પહોંચાડી હતી. પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા
પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું, જેમાં 8 લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. એ બાદ પોલીસે 27 નામજોગ અને 200ના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ ટોળા પૈકી આઠને રાઉન્ડ અપ કરી ધરપકડ કરી હતી અને માલપુર પોલીસ સ્ટેશન લાવ્યા હતા. તેમની પૂછપરછમાં તેમના દ્વારા લખાવેલાં ટોળા પૈકીનાં 27નાં નામજોગ અને 200- ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. આમ, પોલીસ કર્મચારીઓને મારી નાખવાના ઇરાદે હુમલો, સરકારી વાહનના કાચ તોડી 55,000નું નુકસાન, 350ની કિંમતની લાઠી, હેલ્મેટ ઝૂંટવી તથા મૃતકના સસરાના ઘરે રાખેલા બચતના 50 હજારની ચોરી કરી મકાન સળગાવી દેવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને હાલ મોડાસા કોલ્ડસ્ટોરેજમાં રખાયો છે.