અરવલ્લી જિલ્લાના ના મેઘરજ ગ્રામ પંચાયત માં સ્થાનિકો વહીવટ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.એવામાં આજ રોજ મેઘરજ માં (૩૦૦) જેટલા ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત માં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.મેઘરજ ગામ ની આશરે (૧૨) હજાર ની વસ્તી ધરાવતા આ ગામ માં સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ગામ માં કોઈ જ કામ થતાં નથી જેવાકે રોડ રસ્તા સાફસૂફ કરવા કે ચોમાસામાં પાણી ભરાંતા પાણી નો કોઈ નિકાલ નથી.ગામમાં પાણી ભરાવાના ને લઇ રોગચાળો ફેલાયો તેવી હાલત છે.તો દવાઓ પણ છાંટવામાં આવતી નથી..જેથી ગામના લોકો આવા વહીવટ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ગામજનો નો એક જ અવાજ છે કે વહીવટ કરતાઓ રાજીનામું આપે અને જો રાજીનામું નહિ આપે ત્તો ગાંધીચીંધ્યા માર્ગે સોમવારે મેઘરજ બંધનું એલાન આપવામાં આવશે એવુ ગામલોકો એ જણાવ્યું હતું…
