અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં જલશક્તિ મિશન નારીશક્તિ મિશન,ખેતતલાવડી અંતર્ગત
*રાષ્ટ્રીય લેવલ નો કાર્યક્રમ* યોજાયો..
યોજાયેલ કાર્યક્રમ માં મોડાસા તાલુકાના બડોદરા ગ્રુપ ગ્રામપંચાયત ના યુવા જાગૃત સરપંચશ્રી કીર્તિબેન અશ્વિનભાઈ પટેલની પસંદગી કરવામાં આવેલ હતી.તેમાં નારીશક્તિ ,જલશક્તિ મિશન ,તળાવો ઊંડાં કરવા,ખેતતલાવડીઓ વગેરે વિશે માહિતગાર કરવામાં આવેલ હતા. બડોદરા સરપંચશ્રી મનરેગા દ્વારા સતત ગ્રામજનો ને રોજગારી આપી તળાવો ઊંડા કરાવેલ છે. જળ એ જીવન છે જળ ને બચાવવું આજની તાતી જરૂરિયાત છે.જળ બચાવવા શોષ ખાડા કરવા જોઈએ. દીકરીઓ માટે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન નો ધર ધર પ્રસાર કરેલ છે..જળ બચાવવા માટે શોષખાડા બિનજરૂરી પાણી બગાડવું નહિ પંચાયત દ્વારા દેખરેખ રાખવામાં આવે છે..અરવલ્લી જિલ્લામાંથી બડોદરા ગ્રુપ ગ્રામપંચાયત માં સરપંચશ્રી દ્વારા હમેશા અવનવી ગ્રામજનોની સુખાકારી માટે કાર્યક્રમ ,પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય. છે.મહિલા સરપંચશ્રી ની પસંદગી થતા ગ્રામજનોએ અભિનંદન આપેલ હતા
