અરવલ્લી સાબરકાંઠા પંથકમાં ભામાશા ગણાતા BZ ગ્રુપના સીઈઓ અને ગ્રોમોર એજ્યુકેશન ટ્રસ્ટ હિંમતનગરના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રસિંહ ઝાલા હર હંમેશ લોક સેવા માટે તત્પર રહેતાએમનાત્રીસમાંજન્મદિવસ પર મૈત્રી ફાઉન્ડેશન ગ્રુપની રચના કરવામાં આવેલ હતી તેઓએ તેમના જન્મદિવસ નિમિત્તે 100 થી 200 ઘર જરૂરિયાતમંદ લોકો માટે બનાવી આપવાનો દ્રઢ સંકલ્પ કરેલ હતો તાજેતરમાં સાબરકાંઠાના મૂછની પાળ ગામે તેઓએ કરેલા સંકલ્પના ભાગરૂપે પ્રથમ ઘરનું વિધીસર રીતે ખાતમુહૂર્ત કરવામાં આવેલ આ ખાતમુહૂર્ત પ્રસંગે મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો તથા મુછનની પાળ તથાઆસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા. સૌએ શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલાના નિર્ધારને બિરદાવી અભિનંદન આપેલ હતા.
