મહીસાગર જિલ્લામાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો. અને ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તેમાટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. જિલ્લામાં વધુ વરસાદ થવાથી આરોગ્ય વિભાગ દ્વારા કુલ 280 આરોગ્યની ટીમ દ્રારા અસરગ્રસ્ત વિસ્તારમાં દૈનિક સર્વેલન્સ કામગીરી કરી રહી છે. તેમજ રોગચાળો ન ફેલાય તેમાટે કામગીરી થઈ રહી છે. આરોગ્ય ટીમ દ્વારા ઘરેઘરે જઈને ક્લોરીન ટેબલેટ, ઓ.આર.એસ. તેમજ ક્લોરીન ટેસ્ટ કરીને ચોખું પાણી પીવાલાયક મળી રહેતે માટે કામગીરી હાથ ધરી છે. તેમજ લોકોમાં ભયન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની આઇ.ઈ.સી. કરી છે. આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કોઈપણ રોગચાળો ન ફેલાય તેમાટે એન્ટીલારવા કામગીરી, દવાનો છંટકાવ, ફોર્મિંગ, ક્લોરીનેશન ટેસ્ટ વગેરે કામગીરી કરવમાં આવી રહેલ છે. ત્યારે આરોગ્ય વિભાગ છેવાડાના માનવીની દરકાર લઈ કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમા આરોગ્ય વિભાગની ટીમ બોટ મારફતે જળાશય વિસ્તારમાં આવેલ બેટ પર પહોચ્યા હતા. બેટ પર વસવાટ કરતા લગભગ 700 થી વધુ લોકોના ઘરે ઘરે જઈને પણ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
