Tuesday, June 10, 2025
spot_img
HomeGujaratમહીસાગર : આરોગ્ય વિભાગની 280 ટીમ દ્વારા જિલ્લામાં સર્વેલન્સની કામગીરી...

મહીસાગર : આરોગ્ય વિભાગની 280 ટીમ દ્વારા જિલ્લામાં સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ.

મહીસાગર જિલ્લામાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો. અને ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તેમાટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. જિલ્લામાં વધુ વરસાદ થવાથી આરોગ્ય વિભાગ દ્વારા કુલ 280 આરોગ્યની ટીમ દ્રારા અસરગ્રસ્ત વિસ્તારમાં દૈનિક સર્વેલન્સ કામગીરી કરી રહી છે. તેમજ રોગચાળો ન ફેલાય તેમાટે કામગીરી થઈ રહી છે. આરોગ્ય ટીમ દ્વારા ઘરેઘરે જઈને ક્લોરીન ટેબલેટ, ઓ.આર.એસ. તેમજ ક્લોરીન ટેસ્ટ કરીને ચોખું પાણી પીવાલાયક મળી રહેતે માટે કામગીરી હાથ ધરી છે. તેમજ લોકોમાં ભયન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની આઇ.ઈ.સી. કરી છે. આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કોઈપણ રોગચાળો ન ફેલાય તેમાટે એન્ટીલારવા કામગીરી, દવાનો છંટકાવ, ફોર્મિંગ, ક્લોરીનેશન ટેસ્ટ વગેરે કામગીરી કરવમાં આવી રહેલ છે. ત્યારે આરોગ્ય વિભાગ છેવાડાના માનવીની દરકાર લઈ કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમા આરોગ્ય વિભાગની ટીમ બોટ મારફતે જળાશય વિસ્તારમાં આવેલ બેટ પર પહોચ્યા હતા. બેટ પર વસવાટ કરતા લગભગ 700 થી વધુ લોકોના ઘરે ઘરે જઈને પણ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x