આમ આદમી પાર્ટી દ્વારા મોડાસા માં ભારે વરસાદને લઈને નગરપાલિકા ના વહીવટ કરતાઓ ની બેદરકારીઓ ને લઈને જિલ્લા કલેકટર શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપવામાં આવ્યું
આજ રોજ ભારે વરસાદના કારણે જિલ્લામાં આમ જીવન ખૂબ જ પ્રભાવિત થયું છે એમાં મોડાસા શહેર પણ બકાત રહ્યું નથી મોડાસા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષથી નગરપાલિકા દ્વારા ગટર યોજના નું કામ ચાલે છે પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે ચોમાસામાં મકાનો ની અંદર પાણી ભરાઈ જવાના લીધે લોકોને ઘણું બધું નુકસાન થાય છે અને ઘણી હાલાકી નો સામનો કરવો પડે છે નગરપાલિકા દ્વારા મોડાસા આખા ની અંદર એક સાથે દરેક જગ્યાએ રસ્તા રોડ તોડી નાખવાના કારણે વાહનોને રાહદારીઓને ચાલવા મા પણ ઘણી મુશ્કેલી પડે છે પરંતુ મોડાસા નગરપાલિકાના વહીવટદારોને આનાથી જાણે કોઈ ફરક ના પડતો હોય એવું દેખાઈ રહ્યું છે અને જ્યારે લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે તો ગાંધીનગર નો રસ્તો બતાવીદે છે અને જવાબ માં એમ કહેછેકેઆ તો ગાંધીનગર ની યોજના છે એટલે અમે કંઈ કરી શકીએ નહીં તેવું મૌખિક રજૂઆતમાં જણાવે છે તારીખ 25 26 27 ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે મોડાસાની અનેક વિસ્તારની સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવું પડયુછે અને નગરપાલિકાના વહીવટદારો દ્વારા ખાલી દેખાવ પૂરતું કામગીરી કરીને મસ મોટુ તીર માર્યું હોય તેવું અનુભવતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને ઘણી જગ્યાએ તો વહીવટ દારો જોવા પણ પહોંચ્યા નથી મોડાસાની ગરીબ નવાજ, આશિયાના, ઝમ ઝમ ,અલસફા, આજી પાર્ક, રસુલાબાદ, શુકન પાર્ક રામપાર્ક ,વિદ્યા કુંજ, માણેકબા, ગીતાંજલી ,રાધા વિહાર ,પારસ એક, બે, આ તમામ સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરી અને મકાનોને નુકસાન થયેલ છે કલેક્ટર શ્રી રજૂઆતમાં એ પણ કહેવામાં આવ્યું આ બાબતે યોગ્ય સર્વે કરી નુકસાનીનુ વળતર રહેલી તકે ચુકવવામાં આવે અને ચોમાસામાં પાણીથી પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ કરવામાં આવે હાલ જે ગટર લાઈન છે એ ભૂગર્ભ લાઇન છે પરંતુ ચોમાસાના પાણીને એક અલગથી લાઇન અને જે નાની લાઈનો છે એને મોટી કરી તાત્કાલિક પાણી નીકળે તેવી વ્યવસ્થા કરવામાં આવે બીજું ત્રણ દિવસ સુધી પાણીના કારણે અનેક ઠેકાણે ઠેર ઠેર ગંદકીના ઢગલા થઈ ગયેલાછે આ ગંદકીને તાત્કાલિક સફાઈ કરી રોગચાળો ન ફેલાય એ માટે એને દવાનો છંટકાવ કરી રોગચાળો ફેલાવતા અટકાવવાનું હાથ ધરવુ જોઈએ એવી રજૂઆત કરવામાં આવી આવેદનપત્ર આપવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના માયનરી પ્રમુખ ઉસ્માન લાલા લીગલ સેલના પ્રમુખ જે .ડી. નીનામાં પાર્ટી સેલના પ્રદેશ પ્રમુખ વિજય પટેલ પ્રદેશ કારોબારી સભ્ય ઇન્દુભાઇ પંડ્યા અનેક કાર્યકર્તા હાજર રહ્યા હતા
આવેદનપત્રમાં અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે માલધારીઓને પશુઓનો નુકસાન થયેલ છે તેના વળતર માટે પણ માગણી કરવામાં આવી આ બાબતે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના માયનરીટી પ્રમુખ ઉસ્માનલાલાને પૂછતા જણાવ્યું હતું
