માણસા પંથકમાં સતત ભારે વરસાદને કારણે દલેવાડા તથા સોજા ગામે દિવાલ ધસી પડતાં ત્રણ પશુના આકસ્મિત અવસાન થયા હતા. જેને કારણે પશુપાલકોને મોટું નુકસાન થયું હતું. જે બાદ ધારાસભ્ય જે એસ પટેલે સમગ્ર માહિતી મંગાવી તાત્કાલિક ધોરણે દેલવાડા અને સોજા ગામના પશુપાલકોને સહાય માટેના ચેક અર્પણ કર્યા હતા. ત્યારબાદ શ્યામરથ ખાતે માણસા તાલુકાની તમામ આંગણવાડી દીઠ એક-એક રોપો અને તેના રક્ષણ માટેના પાંજરા આપવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિત આગેવાનો, હોદ્દેદારો, ગ્રામજનો હાજર રહ્યા હતા.
