સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રખ્યાત લોકમેળો તરણેતરની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા હોય છે. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સપ્ટેમ્બર મહિનામાં 6 થી 9 તારીખની વચ્ચે યોજાવાનો હતો. ત્યારે હવે તરણેતર ગ્રામ પંચાયત તરફથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ બેઠક બોલાવીને આ મેળો બંધ રાખવા માટે કલેક્ટરને આવેદન મોકલી આપવામાં આવ્યું છે.

ઠરાવમાં જણાવ્યા અનુસાર, આજરોજ ગ્રામ પંચાયત તરણેતરના સરપંચશ્રીના અધ્યક્ષ સ્થાને આગામી તરણેતર લોકમેળા 2024 અંતર્ગત હાલમાં અતિભારે વરસાદના કારણે હાલમાં તરણેતર ગામ તળાવ, ડેમ, નદી, નાળા ઓવરફ્લો થઈ ગયેલ છે. તરણેતર ગામને જોડતા તમામ રસ્તાઓ હાલની સ્થિતિએ જો ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ સંપૂર્ણ બંધ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેના કારણે લોકમેળામાં પધારનાર લોકો સાથે આકસ્મિક આફત સર્જાય તેમ હોય, જેથી ગ્રામ પંચાયત વર્ષ 2024નો લોકમેળો ગ્રામ પંચાયત પોતાના હસ્તક કરવા માગતી નથી.