મોડાસા રામદેવરા મંડળ સેવા સંઘ મહંત શ્રી સ્વ ચંદુલાલ યોગી દ્વારા 40 વર્ષ પહેલા રામદેવરા રામદેવજી મહારાજના દર્શન કરવા પદયાત્રા સંઘ નીકળેલ 800 કિમીની આ પદયાત્રા સંઘ છેલ્લા 40 વર્ષથી પરંપરાગત રીતે મોડાસા થી રામદેવડા 700 થી વધુ ભક્તો ભક્તિ ભાવથી પગપાળા રામદેવજીના દર્શન કરવા જાય છે મહંત ધર્મેન્દ્રનાથ યોગી મહંત શ્રી જશુનાથયોગી દ્વારા આ પદયાત્રા સંઘ નું ભવ્ય સંચાલન થાય છે આવા ચોમાસામાં પણ આ પરંપરાગત નીકળતી પદયાત્રા ચોમાસા ના વાતાવરણમાં પણ ભક્તો ની શ્રદ્ધાને ડગાવી શકી નથી આ પદયાત્રા સંઘ નું દીપ પ્રાગટ્ય રાજ્યકક્ષાના મંત્રી ભીખુસી જી પરમાર અરવલ્લી જિલ્લા દેવરાજ ધામના મહંત ધનેશ્વર ગીરીજી મહારાજ જીવદયા પ્રેમી નિલેશ જોશી આજુબાજુથી પધારેલા સંતો મહંતો ના આશીર્વાદ લઇ આ પગપાળા સંઘ નું પ્રસ્થાન મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર પદયાત્રા સંઘની વ્યવસ્થા રામદેવ મંડળ સેવા સંઘ મોડાસા દ્વારા કરવામાં આવી રહી છે
