શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો જેમાં શિતળાસાતમના
તહેવારનું અનેરુ મહત્વ રહેલું છે રાધણછઠ પછીના દિવસે શીતળાસાતમનો તહેવાર આવે છે આ દિવસે મોડાસા નગરના અતિ પ્રાચીન પૌરાણિક અને આસ્થાનું પ્રતિક સમાન ભાવસાર સમાજ સંચાલિત ઓધારી માતાજી મંદીરે. શિતળામાતાની પ્રતિકૃતિ બનાવી સેવા અર્ચના કરવામાં આવે છે મહિલાઓ આ પ્રતિકૃતિ પર જળ પાણી કંકુ દૂધ ચોખા અર્પણ કરી વૈદિક રીતે પૂજન કરતી હોય છે અને સંતાનોનુ આયુષ્ય નિરોગી અને સુખ શાંતિપૂર્ણ બની રહે તે માટે શીતળામાતાને પ્રાર્થના કરતી હોય છે શિતળાસાતમે અગાઉ રાંધણછઠના દિવસે બનાવેલ વાનગી વ્યંજનો ઠંડા આરોગવાનો મહિમા રહેલો છે મંદિર પરિસરમાં મહિલાઓ સમૂહમાં બેસી શીતળામાતાની વાર્તા વાંચન કરી ધન્યતા અનુભવતી હોય છે ઓધારી માતાજી મંદિરે નગરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તિ ભાવપૂર્વક દર્શનાર્થે આવતી હોય છે મંદિરના પૂજારી અતુલભાઇ જોશીના પરિવારમાંથી લીલાબેન માયાબેન સંગીતાબેન શ્રદ્ધાપૂર્ણ ભક્તિભાવથી આ પૂજાવિધી કરાવતા હોય છે મહિલાઓ દાન દક્ષિણા અર્પણ કરી ધન્યતા અનુભવતી જોવા મળે છે
