STના કંડક્ટર પાસેથી આ મશીન ચોરાવાની કે ગૂમ થવાની અત્યાર સુધીમાં 150 જેટલી ઘટના બની ચૂકી છે અને તે STના રેકોર્ડ પર નોંધાયેલી છે. હવે સવાલ એ થાય કે મશીન ચોરીને કોઇને શું ફાયદો થશે? જેનો જવાબ છે કાળી કમાણી.આ ચોરી ડેપોમાં ઊભેલી બસમાંથી થાય છે, ડ્રાઇવર-કંડક્ટર માટે ડેપોમાં બનાવાયેલા રેસ્ટ રૂમમાંથી પણ થાય છે. ઘણીવાર તો મશીન સાથેના થેલાં જ ગૂમ થઇ જતા હોવાની ફરિયાદો થયેલી છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં અને ગુજરાત બહાર ST બસ લઇને ગયેલા કંડક્ટરો પાસેથી આવા મશીન ચોરાયા હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું. માત્ર કડંક્ટર પાસેથી ટિકિટની રકમ વસૂલી લેવાય છે અને પોલીસ વિભાગમાંથી એવો દાખલો મેળવી લેવાય છે કે મશીન મળતાં નથી. બસ આ બે કામ કરીને સમગ્ર પ્રકરણ પૂરૂં કરી દેવામાં આવે છે.STને કોઇ નુકસાન નથી થતું જેટલા મશીન ચોરાયા તેમાં જેટલી ટિકિટ બાકી રહી હોય તેની કિંમત કંડક્ટર પાસેથી વસૂલી લેવાય છે. આમ મશીન ચોરાવાથી એસટીને કોઇ નુકસાન નથી થતું પરંતુ કંડક્ટરે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડે છે.ખંભાતના રહીશ અને ST નિગમના નિવૃત્ત ડ્રાઇવર ઘનશ્યામસિંહ ચૂડાસમાએ આવી ઘટનાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. તેમણે અત્યારસુધીના તમામ મુખ્યમંત્રીઓને રજૂઆત કરી છે. હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી. ST નિગમ અને પોલીસને કાર્યવાહી કરવા માટે પત્રો પણ લખ્યા છે પરંતુ કોઇ નક્કર પગલાં લેવાયા નથી. આવા બનાવો બનવાનું ચાલુ જ છે. જેના કારણે આ આખુંય કૌભાંડ ચાલતું હોય તેવી ગંધ આવી રહી છે. આ કૌભાંડ છે કે નહીં તે તો પોલીસ વિભાગ અથવા ST નિગમની સલામતી શાખા ઊંડાણપૂર્વક તપાસ કરે તો જ સામે આવે તેમ છે.
