પુણેના વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી વિજયવાડા જઈ રહ્યું હતું. તેમાં એક પાયલટ અને ત્રણ મુસાફરો હતા. આ દુર્ઘટનામાં પાયલોટ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ ન હતી.

પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું કે આ હેલિકોપ્ટર મુંબઈની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર કંપનીનું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની આશંકા છે. દુર્ઘટના પાછળ ભારે વરસાદ પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.હેલિકોપ્ટરનું નામ AW 139 છે. પાયલોટનું નામ કેપ્ટન આનંદ છે, જ્યારે ત્રણ મુસાફરોની ઓળખ ધીર ભાટિયા, અમરદીપ સિંહ અને એસપી રામ તરીકે થઈ છે.