ગોકુલનાથજી મંદિર મોડાસા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં રંગબેરંગી અને કલાત્મક હિંડોળા બનાવી ને પ્રભુને મનોરથી દ્વારા ઝુલાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યા માં વૈષ્ણવો એ લાભ લઈ ધન્યતા અનુભવી હતી
મંદિર ના પ્રમુખ મનહરભાઈ શેઠ ના જણાવ્યા અનુસાર શ્રાવણ વદ – ૨ ને બુધવારની સાંજે મંદિર ખાતે ફૂલો થી મંદિર ને શણગારવામાં આવેલ પ્રભુને ફૂલો ના ,હિંડોળામાં ગીરિકંદરા બંગલામાં બિરાજેલ મંદિર ચોકમાં અદભૂત ફુલો ના શણગારનો સજાવટ કરી ગોપીઓ અને પ્રભુ બિરાજેલ
આજ ના હિંડોળા ઉત્સવ પર્વે કલેકટર શ્રી પ્રશસ્તિ પરિક , આર. એ. સી. ,જે ગોડા સાહેબ, એ. એસ પી શ્રી કેશાવાલા , ગોહિલ સાહેબ, ડી . એસ ઓ મહેશ્વરીજી નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ તમામ અધિકારીઓ ને મંદિર ના મુખિયાજી દ્વારા ઠાકોરજી સનમુખ પ્રસાદીરૂપે ઉપરણા ઓઢવાવા માં આવેલ હતા
સર્વ પધાધિકારીઓ દર્શનાર્થે પધારેલ હોઈ વૈષ્ણવ સમાજ માં અનેરો ઉત્સાહ વ્યાપ્યો હતો
કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરિક , તેમજ સર્વે ઉપસ્થિત અધિકારીઓ મંદિર ના દર્શન માટે આવું સુંદર આયોજન બદલ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી
આજ ના ઉત્સવ માટે મંદિર ના પ્રમુખ મનહરભાઈ શેઠ ,મુખીયાજી પવનભાઈ શર્મા, રાજુમામા , રાજુભાઈ શેઠ એ ભારે જેહમત ઉઠાવી ઉત્સવને મંગલમય બનાવ્યો હતો.
