એનસીઆરબીના રિપોર્ટમાં દુષ્કર્મના આંકડાઓને લઈ મોટો ધડાકો કરવામાં આવ્યો છે. ભારતમાં વર્ષ 2017થી 2022માં પ્રતિ દિવસ સરેરાશ દુષ્કર્મના 86 કેસ નોંધાયા હતા. 86 પૈકી 82 કેસોમાં મહિલા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી તેના પરિચિત જ હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના વાર્ષિક રિપોર્ટ અનુસાર 2017થી 2022 દરમિયાન ભારતમાં કુલ 1.89 લાખ દુષ્કર્મના કેસ નોંધવામાં આવ્યા હતાં. 1.89 લાખ કેસો પૈકી 1.79 લાખ કેસોમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી મહિલાનો પરિચિત હતો. જ્યારે 9670 કેસોમાં આરોપી અજ્ઞાાત હતો. આ આંકડા અનુસાર બળાત્કારનો ભોગ બનનાર મોટા ભાગની મહિલાઓની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી. 1.89 લાખ પૈકી 1.13 લાખ કેસોમાં મહિલાઓની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી.
