જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ સવારે લગભગ 6.45 કલાકે આવ્યો હતો. જોરદાર ધ્રુજારીના કારણે લોકો જાગી ગયા હતા. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને સલામત સ્થળે આવી ગયા હતા. હાલ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. બારામુલ્લા, પૂંચ અને શ્રીનગરની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 નોંધાઈ હતી.
