ભિલોડા શાખા અને ભારત વિકાસ પરિષદ, દિવ્યાંગ કેન્દ્ર, અમદાવાદ પાલડી શાખા દ્વારા આયોજીત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ એન. આર. એ. વિદ્યાલયમાં યોજાયો હતો. સંભારભના અધ્યક્ષ ધારાસભ્ય પી.સી.બરંડા, ટોરડા સ્વામિનારાયણ મંદિરના મહંત હરિપ્રકાશ સ્વામી, લાલભાઈ પુરશવાણી, ભિલોડા જન સેવા સંધ, પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય, રાજકીય, સામાજીક આગેવાન બી.ટી.નાયી સહિત સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં દિવ્યાંગ કેમ્પ યોજાયો હતો.કેમ્પમાં 130થી વધુ દિવ્યાંગો ને સાધન સહાય, હાથ, પગના માપ લેવાયા હતા.સર્વે મહેમાનોની ઉપસ્થિતિમાં દિવ્યાંગો ને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરવાના સેવા યજ્ઞનો લાભ લઈ દિવ્યાંગો, વડીલોના આશિર્વાદ લીધા હતા.દિવ્યાંગ કેમ્પમાં ભિલોડા, મેઘરજ, બાયડ, મોડાસા સહિતના અનેકવિધ તાલુકાઓના દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.હાથ, પગના માપ લેવાયા હતા.દિવ્યાંગ કેમ્પને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, મંત્રી મહિપતસિંહ રાઠોડ,

હર્ષદભાઈ સોની, જગદીશભાઈ પટેલ, શૈલેષભાઈ સોની સહિત સર્વે હોદ્દેદારો, કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.