Monday, June 9, 2025
spot_img
HomeNewsભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી શામળીયા ટિફિન સેવા (નિ:શુલ્ક) યોજનાના...

ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી શામળીયા ટિફિન સેવા (નિ:શુલ્ક) યોજનાના ચોથા વર્ષમાં મંગલમય પ્રવેશ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

સેવા પરમો ધર્મના સુત્ર સાથે કાર્યરત સેવાકીય અનેકવિધ ભગીરથ પ્રવૃત્તિઓમાં હંમૈશા અગ્રેસર સંસ્થા અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં કાર્યરત ઉદય સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી શામળિયા ટિફિન સેવા યોજનાએ તા.૧૫/૮/૨૦૨૪ ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં મંગલમય પ્રવેશ પ્રસંગે શ્રીમદ્ રામચંદ્ર વિદ્યાસભાગૃહ, પ્રેરણા વિદ્યાલયમાં તા. ૧૮/૦૮/૨૦૨૪ ને રવિવારે કાર્યક્રમ યોજાયો હતો.પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી શ્યામસુંદરદાસ બાપુ, લાલજી મહારાજ, ગંગારામ મહારાજે પ્રાસંગિક પ્રવચન દરમિયાન જણાવ્યું કે, સતકાર્યોમાં સમાજે સહભાગી થવું જોઈએ, યુવાનોએ મોટી સંખ્યામાં જોડાઈ સમાજલક્ષી સદકાર્યો કરવા જોઈએ તેવો સમાજને શુભ સંદેશ આપેલ હતો.
આ શુભ પ્રસંગે અતિથિ વિશેષ દેવેન્દ્રભાઈ સોની, હસમુખભાઈ પટેલ, વિજયભાઈ શાહ, બિપીનભાઈ ભટ્ટ (નિવૃત્ત કલેકટર), શ્રી અર્બુદા સેવા સંઘ – મંત્રી – દામુભાઈ પટેલ, સામાજીક આગેવાન કિર્તીભાઈ બારોટ, મનોજભાઈ પટેલ (પુર્વ સરપંચ), જયંતિભાઈ શર્મા, પ્રકાશભાઈ વૈદ્ય, ગોવિંદભાઈ નાઈ, ભિલોડા જલારામ હોસ્પિટલ, ડો. ગુંજનકુમાર પંડ્યા, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, પ્રમુખ :- જીતકુમાર ત્રિવેદી સહિત રાજકીય, સામાજીક આગેવાનો, વેપારીઓ સહિત બહોળા પ્રમાણમાં લોકોએ સત્સંગ, મહાપ્રસાદનો લાભ લીધો હતો.ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા વિપુલભાઈ જેશીંગભાઈ પટેલ (મુનાઈ) – ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ આવેલ હોય સંતો દ્વારા જવાન નું વિશેષ સન્માન કર્યું હતું.વિવિધ સહયોગી સંસ્થાઓના સહયોગથી રક્તદાન શિબિરનું સતત ત્રીજા વર્ષે ભગીરથ આયોજન કર્યું હતું.રક્તદાતાઓને સંસ્થાઓ દ્વારા શિલ્ડ, ઉપહાર આપી સન્માનિત કર્યા હતા.ભિલોડા ઉદય સેવા સંસ્થાનના સેવાભાવી સર્વે હોદેદારો, કારોબારી સભ્યોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ સુંદર આયોજન કર્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x