ચોમાસામાં સરીસૃપ જીવો દરમાંથી નીકળી અને રહેણાક વિસ્તારોમાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ રહેણાક વિસ્તારોમાં સાપ ઘૂસી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં મગરના બચ્ચા સહિત મગર ઘૂસી આવવાની પણ ઘટનાઓ બની છે. ત્યારે મહીસાગર જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક કાચા મકાનના છત ઉપર નળિયામાં એક સાપ ફસાયો હતો. જે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમને ઘરમાં સાપ ઘુસ્સો હોવાનો કોલ મળ્યો હતો. ત્યાર બાદ ટીમના હિતેશભાઈ પ્રજાપતિ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સાપનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ઘટના ખાનપુર તાલુકાના રંગેલી ગામની છે. જ્યાં એક ખેડૂતના મકાનના છત ઉપર નળિયામાં એક સાપ ઘુસ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિક રહીશ દ્વારા હિતેશભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હિતેશભાઈ પ્રજાપતિ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાચા મકાનની છત ઉપર ચડી નળિયામાંથી અંદાજિત 6થી 7 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેઓના જણાવ્યા પ્રમાણે આ સાપ બિનજરી ધામણ સાપ હતો. જેનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને દૂર સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો છે.
