અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સાથે એક મોટી દુર્ઘટના થયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રેનના 22 ડબા પાટા પરથી ઉતારી જતાં મોટો અકસ્માત થયો છે. આ ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

