Sunday, June 8, 2025
spot_img
HomeGujaratરાજસ્થાન ના ઉદયપુરમાં માં કર્ફ્યુ લાગ્યો....

રાજસ્થાન ના ઉદયપુરમાં માં કર્ફ્યુ લાગ્યો….

ઉદયપુર શહેરમાં બપોર થતાં  શહેરનો માહોલ અચાનક બદલાઈ ગયો. બજારોમાં કેટલાય ટોળા અચાનક આવ્યા અને દુકાનો બંધ કરાવા લાગ્યા. ગુસ્સે થયેલા લોકો મોલ અને કેટલીય દુકાનોમાં તોડફોડ કરવા લાગ્યા, પથ્થરમારો પણ કર્યો. એકાએક આખા શહેરમાં તણાવ ફેલાઈ ગયો. કેટલીય કારમાં આગ લગાવી દીધી. શહેરમાં કેટલીય જગ્યાએ હિંસા ફેલાઈ ગઈ.

જોત જોતામાં પોલીસ ભારે સંખ્યામાં બજારો અને તે જગ્યાએ પહોંચી ગઈ જ્યાં હોબાળો થઈ રહ્યો હતો. તેમને શાંત કરાવ્યા અને સાવધાનીના ભાગરુપે બજારો બંધ કરાવી દીધી. આખા શહેરમાં પોલીસ અને અન્ય સુરક્ષા ફોર્સ તૈનાત કરી દીધી. આખા ઉદયપુરમાં કર્ફ્યુ લગાવી દીધો છે.હકીકતમાં જોઈએ તો, ભટિયાણી ચોહટ્ટાની સરકારી સ્કૂલમાં દસમા ધોરણના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં એક વિશેષ ધર્મના છાત્ર સાથે બોલાચાલી બાદ બીજા વિદ્યાર્થીની જાંઘમાં ચાકૂના ઘા મારી દીધા હતા. આરોપી છાત્ર સ્કૂલમાંથી ભાગી ગયો હતો. ચાકૂના ઘા વાગ્યા બાદ ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અહીં છાત્રને આઈસીયૂમાં ભરતી કરાવ્યો હતો. સૂચના મળતા સૂરજપોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ત્યાર બાદ એમબી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ છાત્રના સમાજના લોકો એકઠા થઈ ગયા અને ભાજપના પદાધિકારી અને કાર્યકર્તા પણ અહીં પહોંચી ગયા હતા. ત્યાર બાદ આખા શહેરમાં ધીમે ધીમે તણાવ વધવા લાગ્યો. હોસ્પિટલમાં ડીએમ સહિત એસપી અને કેટલાય અધિકારી પહોંચી ગયા હતા.શહેરમાં આ ઘટનાને લઈને તણાવ વધી ગયો. હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થઈ ગયા અને લોકોએ આરોપી વિદ્યાર્થીના ઘરને ગેરકાયદેસર ગણાવાનું શરુ કરી દીધું અને નગર નિગમને કાગળ ચકાસીને મકાન પર બુલડોઝર ફેરવવાની વાત કરવા લાગ્યા.ઘાયલ બાળકની સારવાર ચાલી રહી છે, આ દરમ્યાન શહેરમાં બાળકના મોતની અફવા ફેલાઈ ગઈ. જો કે, પોલીસ પુષ્ટિ કરી છે કે બાળકની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સની દેખરેખમાં તે છે. તેમ છતાં પણ હોસ્પિટલ બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x