Monday, June 9, 2025
spot_img
HomeGujaratISRO એ શ્રી હરિકોટાના સેન્ટરથી EOS-08 ઉપગ્રહ લોન્ચ કર્યો ......

ISRO એ શ્રી હરિકોટાના સેન્ટરથી EOS-08 ઉપગ્રહ લોન્ચ કર્યો ……

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ દેશના સૌથી નાના રોકેટ SSLV-D3 પર શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (EOS-08) લોન્ચ કર્યો. આ ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર લગભગ 475 કિમી દૂર સ્થાપિત કરવામાં આવશે. આ એક વર્ષ માટે કામ કરશે.EOS-08 સેટેલાઇટનો હેતુ પર્યાવરણ અને આપત્તિ સંબંધિત સચોટ માહિતી પ્રદાન કરવાનો છે. આ પહેલા ઈસરોએ લોન્ચની તારીખ 15 ઓગસ્ટ નક્કી કરી હતી. ત્યાર બાદ એક દિવસ બાદ તેને લોન્ચ કરવામાં આવી હતી.EOS-08 ઉપગ્રહ ત્રણ પેલોડ ધરાવે છે. તેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ (EOIR), ગ્લોબ૯ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ-રિફ્લેકમેટ્રી પેલોડ (GNSS-R) અને SiC-UV ડોસીમીટરનો સમાવેશ થાય છે.EOIR પેલોડ ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ વગેરે જેવા કાર્યો માટે છબીઓ મેળવવા માટે રચાયેલ છે. આ પેલોડ દિવસ અને રાત્રિ દરમિયાન પણ ફોટોગ્રાફ્સ કેપ્ચર કરી શકે છે.GNSS-Rનો ઉપયોગ દરિયાની સપાટી પરના પવનનું પૃથ્થકરણ કરવા, જમીનની ભેજનું મૂલ્યાંક- કરવા, પૂર શોધવા વગેરે માટે રિમોટ સેન્સિંગ ક્ષમતા iમાટે કરવામાં આવશે…..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x