નાથાવાસ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં ગામના સરપંચ શ્રી, ગામના આગેવાનો ,એસએમસી કમિટી, તાલુકા બીટ કેનીની શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રી શૈક્ષણિક સ્ટાફ ગણ શાળાના વિદ્યાર્થીઓ, ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઇવરો, તેમજ મોટી સંખ્યામાં ગામના યુવાનો વડીલો, મહિલાઓએ હાજરી આપી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર પર્વ વિશેની ઝાંખી કરાવવામાં આવી. આ પ્રસંગે બીટકેને શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું તેમજ શાળાના આચાર્યશ્રી રમીલાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ રીતે સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી
