Monday, June 9, 2025
spot_img
HomeNewsસાબરકાંઠા : વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનોએ મેઘયજ્ઞ કર્યો....

સાબરકાંઠા : વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનોએ મેઘયજ્ઞ કર્યો….

વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગામના ચોકમાં રવિવારે બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પાંચ યજમાનોના હસ્તે સવારે 8 કલાકે મેઘયજ્ઞનો પ્રારંભ કર્યો હતો અને સાંજે 4.30 કલાકે પૂજન અર્ચન અને મંત્રોચ્ચાર સાથે મેઘરાજાને મનાવવા માટે કરાયેલા મેઘયજ્ઞની પૂર્ણાહુતિનો હોમ કરવામાં આવ્યો હતો અને મેઘરાજાને પ્રાર્થના કરવામાં આવી હતી.હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ હાથતાળી આપતો હોય તેવી પરિસ્થિતિ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી છે. ચોમાસું શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં સર્વત્ર વરસાદ વરસ્યો નથી. જેને લઈને ખેડૂતો પણ મૂંઝવણમાં છે. ત્યારે મેઘરાજાને મનાવવા માટે ભંડવાલના ગ્રામજનોએ મેઘયજ્ઞ કર્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x