Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાણસા શિશુ મંદિર ખાતે CMના જન્મદિવસે સ્વસ્થ અને દીર્ઘાયુ માટે યજ્ઞ યોજાયો

માણસા શિશુ મંદિર ખાતે CMના જન્મદિવસે સ્વસ્થ અને દીર્ઘાયુ માટે યજ્ઞ યોજાયો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સોમવારે જન્મદિવસ હતો. માણસા ખાતે આવેલ શિશુ મંદિરમાં મુખ્યમંત્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વસ્થ અને દિર્ઘાયુ માટે યજ્ઞ કરાયો હતો. મુખ્યમંત્રી સતત વિકાસના કામો કરતા રહે અને પ્રજાલક્ષી નિર્ણયો કરે તેવી પ્રાર્થના કરાઈ હતી. તમામ આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ત્યારબાદ બાળકોને ફ્રૂટ વિતરણ પણ કરાયું હતું.

Photo By, Dhaval Darji

આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ એલ એચ પટેલ, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, મહામંત્રી મોતીલાલ પુરોહિત, મીડિયા કન્વીનર ડો. તુષારભાઈ જાની, શાળાના ટ્રસ્ટી બી.બી. પટેલ, નરસિંહભાઈ પટેલ, અન્ય યુવા કાર્યકર વિપુલ શાહ, મનિષ પટેલ સહિત શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x