અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના સાઈ મંદિર હોલ ખાતે મોડાસા નગર તેમજ, અરવલ્લી જિલ્લા ના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ આ બેઠકમાં ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી નલીનભાઈ પટેલ દ્વારા વિશ્વ હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિ શ્રેષ્ઠતા વિશે તેમજ બાળકો મહિલાઓ સહિત સનાતન ધર્મના આચરણ વિચરણ અને સંસ્કારો નું સિંચન કેવી રીતે થાય તેની સરસ માહિતી પૂરી પાડી હતી આ બેઠકમાં ઉત્તર ગુજરાત પ્રાંત ના ઉપાધ્યક્ષ અશોકભાઈ પટેલ ઉત્તર ગુજરાત પ્રાંતના ધર્મ પ્રસાર આયામ ના સહસંયોજક જયંતીભાઈ ગામેતી અરવલ્લી જિલ્લા અધ્યક્ષ સંજય ભાવસાર( બુલેટ) મંત્રી હસમુખભાઈ પટેલ મોડાસાનગરના ઉપાધ્યક્ષ સંજયભાઈ મેઘા સહિત મોટી સંખ્યામાંકાર્યકર્તાઓએ હાજરી આપી હતી
