ભારત વિકાસ પરિષદ સ્વસ્થ – સમર્થ – સંસ્કારિત ભારતના સંકલ્પ ને સાર્થક કરવા વિવધ પ્રકલ્પો હાથ ધરે છે. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ એ BVP નું વિઝન છે. ભારત વિકાસ પરિષદની વિવિધ શાખાઓ દરેક પ્રકલ્પ વિવિધતા સાથે ઉત્સાહભેર ઉજવે છે.પ્રતિવર્ષ ભારતભરમાં ભારત વિકાસ પરિષદ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી થાય છે. આ નિમિત્તે આપણે પણ ગત વર્ષે દસ જેટલી પ્રાથમિક શાળાઓમાં તિથિભોજન આપી ઉજવણી કરેલ… ચાલુ વર્ષે આપણે આપણા વિસ્તારની સેવાભાવી સંસ્થા “સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ” (રાજેન્દ્ર નગર ચોકડી) ને રૂ.- 25001 આપી તિથિ નોધાવેલ છે જે થકી પ્રતિ વર્ષ 10 જુલાઈ નારોજ ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના નામે તિથિ ભોજન અપાશે… જે પૈકી આજ રોજ 1092 વ્યક્તિઓને તિથિ ભોજન આપવામાં આવ્યું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, મહિપતસિંહ રાઠોડ, મુકેશભાઈ પંચાલ, જગદીશભાઈ પટેલ, હર્ષદભાઈ સોની, કાંતિભાઈ પટેલ, નરેશભાઈ પંચાલ, હેમંતભાઈ રામી સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
