અરવલ્લી જિલ્લા યોગ કોચ જયેન્દ્ર કુમાર અમૃતલાલ મકવાણા ને “વિશ્વ રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા*ઉતર પ્રદેશ લખનૌ વર્થી વેલનેશ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જિલ્લાના યોગ કોચ અને સમાજ સેવક જયેન્દ્ર કુમાર અમૃતલાલ મકવાણા ને યોગ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ બદલ “*વિશ્વ રત્ન એવોર્ડ”* થી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ ને અત્યાર સુધીમાં 25 થી વધુ વિવિધ સંસ્થાઓ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ એવોર્ડ મળેલા છે.યોગ પ્રેમી ઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. વર્ષો થી સમાજ સેવા અને યોગ સેવામાં જીવન સમર્પિત કર્યું છે. નર્મદા ના પાવન ધરા સ્ટેચ્યુ ઑફ યુનિટી સહકાર ભવન ખાતે તેમનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.
