ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગના ધોરણ 6થી 8ના વર્ગને ગ્રાન્ટેડ વર્ગ તરીકે માન્યતા મળી હતી. જેને રદ કરવા શિક્ષનાધિકારીએ તા. 8-7-2024 ના પત્ર ક્રમક ક-4માધ્યમિક202483370-372થી પત્ર લખી જાણ કરી છે. જેમાં શાળાના જ પત્રને સંદર્ભ પત્ર-1 અને 2થી ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે.ટી. હાઈસ્કૂલ સંલગ્ન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ધો – 6થી 8 ગ્રાન્ટેડ તરીકેની માન્યતા પરત ખેંચી લેવામાં આવેલ છે. આથી શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવાના થાય અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવાની રહે.જે બાબતે સદર શાળાના વાલી મંડળની મિટીંગનું આયોજન કરી આ શાળાના ધો. 6થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નજીકની સરકારી શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી ત્રણ દિવસમાં પૂર્ણ કરી જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.શાળાએ જ વર્ગો બંધ કરવા પત્ર લખ્યો હતો, વાલીઓ ભેગાં થયા પણ કોઈ સામે ન આવ્યું મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડ્યાં હતાં પણ કોઈ પણ ટ્રસ્ટી વાલીઓ સામે ના આવતા વાલીઓમાં આક્રોશ હતો આજે સવારે 10 વાગે ફરી શાળામાં ભેગા થવા આહવાન કર્યું હતું.
