ઉત્તર પ્રદેશના લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ટેકરે ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 18 મુસાફરોના મોત નિપજ્યાં છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
વડાપ્રધાન મોદીએ ઘટનાની જાણ થતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કરી ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે,
“ઉત્તર પ્રદેશ ઉન્નાવનો અકસ્માત અત્યંત પીડાદાયક, જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના: પ્રધાનમંત્રી મોદી, વધુમાં પ્રધાનમંત્રી મોદીએ PMNRFમાંથી મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની કેન્દ્ર સરકાર તરફથી સહાયની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી યોગીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે ‘X’ પર લખ્યું, ઉન્નાવ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હ્રદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામને પ્રાર્થના છે કે, તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય.
By The Press Solution
રથયાત્રા સમિતિના સભ્યોએ કલેકટર શ્રી અને પોલીસવડા શ્રીનો આભાર માન્યો
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો