ગાંધીનગર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર હોલ મુકામે યોજાયેલ એક નોખું અનોખું નાટક સાબરકાંઠા ના યુવા કલાકારો દ્વારા “મળવા જેવો માણસ “ભજવવામાં આવ્યું.આ નાટકમાં આજની યુવા પેઢી પડી રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી બહાર લાવવી,માદક દ્રવ્યો અને વ્યસનમુક્તિ જેવી બદીઓથી મુક્ત થઈ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રયાસ થકી પ્રયત્નો કરવા જોઈએ છતાં સફળતા ન મળે તો હતાશ થઇ નાસીપાસ પણ ન થવું જોઈએ?પણ આ નાટક દ્વારા આવા નાસીપાસ થતાં યુવાનો માટે સરકાર શું કરી શકે છે અને યુવાનોએ સ્વાવલંબન બનવા માટે કયા માર્ગો અપનાવવા જોઈએ તે મનથી નક્કી કરી “હારમાં પણ જીત છે” તેમ નાસીપાસ વાળી માનસિક વિચારધારાને તિલાંજલિ આપી સ્વાવલંબન બની જીવનને સફળ બનાવવા માટે આગળ વધવા માટે નો પ્રોત્સાહન રૂપી સારાંશ દર્શાવ્યો હતો.આ નાટક ના યુવાન”રાજન વ્યાસે”સુંદર અભિનયથી શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા. આ કાર્યક્રમમાં પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,વન અને પર્યાવરણ કયાલાઈમેટ ગુજરાત સરકાર મંત્રી શ્રી મુળુભાઇ બેરા, પૂર્વ મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ તથા ભારત સ્કાઉટ ગાઇડ સંઘના ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દિક્ષિત ઉપસ્થિત રહ્યા હતા.તમામ મહાનુભાવોએ નવોદિત કલાકારોને પ્રોત્સાહન સાથે બિરદાવ્યા હતા.ભારત સ્કાઉટ ગાઇડ સંઘના ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દિક્ષિતે જણાવ્યું હતું કે આપણો જે સાંસ્કૃતિક વારસો, સાહિત્ય અને કલા આ બધું ટીવી ચેનલો આવ્યા પછી સમાજ માં મહ્દઅંશે કેટલીક બદીઓએ જન્મ લઈ લીધો છે.જેના થી સમાજ અને ભારતીય સંસ્કૃતિ ને નુકસાન થવા જઈ રહ્યું છે અને દીન પ્રતિ દીન આવા કલાકારોમાં પડી રહેલી કલાની શકિતઓ બહાર આવી નથી અને તે શકિતઓ આજે તેમને કલાનું મેદાન ન મળવા ના લીધે ભૂલાતું જાય છે.માટે સરકાર શ્રી એ આવા કલાકારોના જીવન નિર્વાહ માટે યોગ્ય વિચારણા અને તેને લગતા નવા પ્રયાસો થી આયોજન કરી તેઓને સ્વાવલંબન બનાવવા માટે પ્રયાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
