અરવલ્લી જિલ્લામાં ખુબજ ઉત્સાહભેર રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેકટરશ્રીપમ પ્રશસ્તિ પારીક અને પૂર્વ ડી વાય,એસપી શ્રી કે જે ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી બાલકનાથજી મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજ્યા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં અખાડા,ટ્રેક્ટર,અનેક ભજનમંડળીઓ જોડાઇ છે.ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા સમિતિના પ્રમુખ દિલીપ ભાવસાર મંત્રી ભરત ભાવસાર તેમજ બાલકનાથજી મંદિર ના પ્રમુખ ધર્મેન્દ્ર ભાવસાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતાઅરવલ્લીના પ્રરિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી.નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નિકળી.મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા
