વિજયનગરથી ઉમિયાનગર થઈ ખેડબ્રહ્મા માર્ગ પર કુંડલા સબસ્ટેશન સામે ગુરુવારે સવારે નવ વાગ્યે ડાલાના ચાલકે ઈકોને ટક્કર મારતાં ઈકો ચાલક રાજસ્થાનના યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. જ્યારે તેની પત્નીને પણ ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યારે ડાલાનો ચાલક અકસ્માતબાદ ડાલું મૂકી ભાગી ગયો હતો. જેની વિરુદ્ધ મૃતકના પિતાએ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉદયપુરના નવાગામના ઓનાળાના કચરાજી લાલૂજી ગરાસિયાનો દીકરો અનિલ મહેસાણાના કડીમાં કડીયા કામ કરતો હતો.સામેથી આવતા દાલા ના ચાલકે અનિલની ઈકોને સામેથી ટક્કર મારતાં અનિલભાઈ અને તેની પત્ની કિરપાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. જેમાં અતિગંભીર ઈજાઓના કારણે અનિલ ગરાસિયાનું મોત નિપજ્યું હતું. મૃતકના પિતા કચરાજી ગરાસિયાએ ડાલાના ચાલકે જેનું નામ ઠામ ખબર નથી તેની વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
