Monday, June 9, 2025
spot_img
HomeGujaratમહીસાગર : લુણાવાડાની ચારીયા(હા) પ્રા.શાળામાં ધો. 1 થી 8 ભણાવવા...

મહીસાગર : લુણાવાડાની ચારીયા(હા) પ્રા.શાળામાં ધો. 1 થી 8 ભણાવવા માટે એક જ ઓરડો

લુણાવાડા તાલુકામાં આવેલ ચારિયા (હા) પ્રાથમિકશાળામાં 1 થી 8 ધોરણના 65 જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ ચારિયા (હા) પ્રાથમિકશાળામાં બાળકોને બેસવા માટે માત્ર એક જ ઓરડો હોવાથી  બાળકો જુના  ઓરડાઓ કાંતો ખુલ્લામાં આભ નીચે અભ્યાસ કરી રહ્યા છે.છેલ્લા આઠ વર્ષના વધુ સમયથી બાળકો ભયના ઓથા હેઠળ ભણવા મજબૂર બન્યા તેમજ સાથેસાથે શિક્ષકો પણ અભ્યાસ કરાવવા મજબુર બન્યા છે. 2017 વર્ષ પહેલાં જર્જરિત ઓરડાઓ તોડી દેવાઓર્ડર કરાયો હતો. ત્યારબાદ ત્રણ શિક્ષણ મંત્રી અને લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં ચાર ધારાસભ્ય બદલાયા હોવા છતાં ઓરડા ન બન્યા.  ત્યારે હાલ પાછલા આઠ વર્ષથી પ્રિન્સીપાલની ઓફિસનો માત્ર એકજ ઓરડો હોવાથી ખુલ્લામાં બેસાડવા શિક્ષકો મજબુર બન્યા છે.હાલ પાછલા ત્રણ મહિનાથી ભાડાના મકાનમાં કેટલાક બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ચોમાસામાં અને ઉનાળામાં શું હાલ થશે? તંત્રના વાંકે છેલ્લા 8 વર્ષ થીમાત્ર એક ઓરડો હોવાથી ચાર વર્ષ પહેલાં 150 બાળકો હતા જે આજે માત્ર 65 રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી મહીસાગર જિલ્લાના હોવા છતાં ગ્રામલોકો તેમજ સરપંચ દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં ઓરડા ન બનતાં રોષ ફેલાયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x