સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાંથી અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પસાર થાયછે. જે સિક્સ લેનની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. આ કામગીરીમાં થયેલા ખોદકામ અને બનાવેલી ડ્રેનેજો ખુલ્લી મુકવામાં આવી છે.જેને લઇને વરસાદી પાણી ભરાઇ જતાં એક પછી એક વાહનો ડ્રેનેજમાં ખબક્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.વળી વરસાદના સમયે પાણીના નિકાલના અભાવેરોડ ઉપર પાણી ભરાઈ જતાં ડ્રેનેજ અને રોડ એક સમાંતર થઈ જાય છે. રોડ ઉપર અવર જવર કરતા વાહનચાલકો વાહન સાથે પાણી ભરાયેલી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકે છે. યોગ્ય કામગીરી ના કરવાના કારણે વાહનચાલકોને દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે. તેને લઈને સ્થાનિકો પણ પરેશાન છે.
