માણસા શિશુ મંદિર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત અને માણસા શાખા દ્વારા CPR અને ડિઝાસ્ટર તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં સીપીઆર એટલે અચાનક કોઈ બેભાન થઇ જાય તો કઈ રીતે મદદરૂપ થઇ શકીએ તે માટેનું માર્ગદર્શન અપાયું હતું. વધુમાં અકસ્માત કે અન્ય કોઈ ઘટના બને તો તાત્કાલિક અસરથી શુ કરવું તેનું પણ પ્રત્યક્ષ નિદર્શન કરાયું કરાયું હતું. રૂપલબેન જાની દ્વારા ટ્રેનિંગ અપાઈ હતી. મહાનુભાવોએ જણાવ્યું હતું કે જો શિક્ષકો તથા શાળા સ્ટાફ તમામ માહિતીથી વાકેફ હશે તો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકશે.
આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન જીલુભા ધાંધલ, માણસા શાખાના ચેરમેન સેવાનુરાગી દિનેશભાઇ વ્યાસ, શાળાના ટ્રસ્ટી બાબુભાઇ પટેલ, કોષાધ્યક્ષ નરસિંહભાઈ પટેલ, માનદ મહામંત્રી મોતીલાલ પુરોહિત, શાળાના શિક્ષકો, સ્ટાફ અને આનંદી માઁના વડલાના મિત્રો પણ જોડાયા હતા.
