અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા છ દાયકાથી શૈક્ષણિક સેવા કરતી સરસ્વતી બાલમંદિરમાં જાયન્ટશ મોડાસા તેમજ જેસીસ મિલ્ક કમિટી દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યભરમાં પ્રવેશોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે છ દાયકાથી શૈક્ષણિક સેવા આપતી સરસ્વતી બાલમંદિરના બાળકોનો પ્રવેશોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો અને બાળકોને આ પ્રસંગેસ્કુલબેગ આપવામાં આવી

આ કાર્યક્રમ મંડળના પ્રમુખ નિલેશ જોશીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં સહકારી આગેવાન અને વરિષ્ઠ પત્રકાર રાકેશ પટેલ જાયન્ટસ પ્રમુખ રમેશ પ્રજાપતિ જેસીસ પ્રમુખ નવનીત પરીખ મંત્રી મુકુંદ શાહ સરસ્વતી બાલ મંદિરના ઉપપ્રમુખ નાનાલાલ પ્રજાપતિ, રમેશ કડીયા,મનીષ તલાટી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાયન્ટસ પ્રવિણ પરમાર શાળાના આચાર્ય તથા શાળાના આચાર્ય વિશાલ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બાળકોને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.