છેલ્લા કેટલાય દિવસોથી અરવલ્લી જિલ્લામાં અસહ્ય બફારો વર્તાતો હતો. વરસાદ જાણે એકવાર પડીને હાથતાળી આપતો હોય એવું જણાઈ આવ્યું હતું. ત્યાં આજે એકાએક શામળાજી અને આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો હતો.આજે બપોરે 12 વાગ્યાના અરસામાં યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શામળાજી સહિત ભવનપુર, શામલપુર, શામળાજી આશ્રમ ચારરસ્તા, રીંટોળાં, ભેટડીમાં વરસાદ ખાબક્યો હતો. ખેડૂતોને ખેતીલાયક વરસાદ થતાં ખુશી છવાઈ હતી. જેઓએ અગાઉ મગફળી, સોયાબીનનું વાવેતર કર્યું છે એ ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે.
