26 જૂનથી ત્રણ દિવસ સુધી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ આયોજિત કરાયો છે. જે અંતર્ગત માણસા ખાતે રાજમાતા દેવકુંવરબા હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1માં નાના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ વગેરે યોજનાઓથી વાલીઓને અવગત કરવામાં આવ્યા. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષારોપણ કરી સૌને પર્યાવરણનું જતન કરવા માટે આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ એલ એચ પટેલ, ભાજપ અગ્રણી અને સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, જીલ્લા શિક્ષણાધિકારી બી.એન. પ્રજાપતિ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પીયૂષભાઈ પટેલ, ભાજપ આગેવાન બી. કે પટેલ, ગોવિંદભાઈ પટેલ, એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ, મહામંત્રી મોતીલાલ પુરોહિત, આચાર્ય લક્ષ્મણસિંહ રાઓલ, શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.