શામપુર પ્રાથમિક શાળા નંબર 1 ના પટાગણ માં શાળાના બાળકો, આગણવાડી ના બાળકો અને બાલવાટીના બાળકો તેમજ શ્રીમતી એસ.એમ. ચૌહાણ વિદ્યાલયના પટાંગણમાં સ્કૂલના બાળકો, શામપુર પ્રાથમિક શાળા નંબર :2 ના બાળકો, અને ઓગણવાડીના બાળકો બંનેસ્થળે અલગ અલગ સમયે ધોરણ એક ના બાળકોને બેગ અને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. ધોરણ 9 ની કન્યાઓને પાઠ્યપુસ્તકો, નિજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી કન્યા કેળવણીની પ્રેરણા માટે રાઇટીંગ પેડ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી (s. S. A.) શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર થી ડો. આર એચ ગઢવી ચારણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવે સાહેબ શ્રી, બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી, સી.આર.સી કો-ઓર્ડીનેટર સાકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં શાળા નંબર 1 ના આચાર્યશ્રી અરવિંદભાઈ સુતરીયા તેમજ શ્રીમતી એસ એમ ચૌહાણ વિદ્યાલયના શિક્ષક શ્રી રમણભાઈએ આભાર માન્યો હતો.
