Monday, June 9, 2025
spot_img
HomeNewsઈન્દ્રપુરા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ઈન્દ્રપુરા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

માણસા તાલુકાની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સરકાર દ્વારા આયોજિત કરાયો છે. જે અંતર્ગત ગુરૂવારે માણસા તાલુકાના ઈન્દ્રપુરા પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. જે. વૈષ્ણવની ઊપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ.1માં બાળકોને પ્રવેશ અપાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ શિક્ષણ પર ભાર મૂકી સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

Photo By, Dhaval Darji

આ કાર્યક્રમમાં સી આર સી કોર્ડિનેટર હસમુખભાઈ, શાળા આરોગ્ય મદદનીશ ભાવેશભાઈ, ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, આરોગ્ય ટીમ સહિત શાળા પરિવાર હાજર રહ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x