સમગ્ર રાજ્યભરમાં 26 જૂનથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. માણસા તાલુકાના દેલવાડા પ્રાથમિક શાળા ખાતે બાળકોનું શૈક્ષણિક ભાવી વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2024નું આયોજન કરાયું હતું. જેમાં આંગણવાડી, બાળવાટીકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.


ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ચાલતી ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ચાલતી ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંગે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ, શાળાના આચાર્ય જશુભાઈ ચૌધરી, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત શાળા સ્ટાફ, વાલીઓ અને ગ્રામજનો રહ્યા હતા.